મહારાષ્ટ્ર: હવે ખેડૂતો પાક લોન 31 જુલાઈ સુધી ચૂકવી શકાશે

મુંબઈ: જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો, વ્યાપારી બેંકો અને ગ્રામીણ વિકાસ બેન્કો દ્વારા આપવામાં આવતી પાક લોનની ચુકવણી માટેની અંતિમ તારીખ 31 જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી હોવાનું મહારાષ્ટ્રના સહકાર અને માર્કેટિંગ પ્રધાન બાલાસાહેબ પાટીલે શુક્રવારે જણાવ્યું હતું. મંત્રી પાટિલે મીડિયા લોકોને જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે દરમિયાન, રોગચાળા અને લોકડાઉનને કારણે ખેડૂતોને તેમની પેદાશો વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણી શુગર મિલોએ હજુ પણ ખેડુતો પાસેથી શેરડી ખરીદીને ઉચિત કિંમત ચૂકવી નથી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અને ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને, બેંકો દ્વારા પાક લોનની રિકવરી 31 જુલાઇ સુધી વધારવામાં આવી છે.

2020-21માં, સરકાર દ્વારા પાક લોન તરીકે મંજૂર કરાયેલા 62,459 કરોડ રૂપિયાની સામે, 47,972 કરોડ રૂપિયા બેંકો દ્વારા વિતરિત કરવામાં આવ્યા હતા. વ્યાપારી બેંકોએ 26,677 કરોડનું વિતરણ કર્યું હતું, જ્યારે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો અને ગ્રામીણ વિકાસ બેન્કોએ અનુક્રમે રૂ. 17,757 કરોડ અને 3,538 કરોડ રૂપિયા આપ્યા હતા. એકંદરે, કુલ રકમના 77 ટકા વહેંચવામાં આવ્યા હતા. રાજ્ય દ્વારા 2021-22 સુધીમાં 69 લાખ ખેડુતોને પાક લોન તરીકે 60,860 કરોડ રૂપિયા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દર વર્ષે ખરીફના વાવણી પહેલા ખેડૂતો બેંક પાસેથી લોન માંગે છે. પાક લોન સમયસર ચુકવતા ખેડુતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. પાટિલે કહ્યું કે, ડો.પંજાબરાવ દેશમુખ યોજના હેઠળ, જે ખેડુતોએ આખી લોન સમયસર ચુકવી લીધી છે, તેઓ શૂન્ય વ્યાજ પર 3 લાખ રૂપિયા સુધીની નવી પાક લોન લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here