ભારતમાં 3.06 લાખથી વધુ કોવિડ-19 કેસ નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,06,064 નવા COVID-19 કેસ નોંધાયા છે અને દૈનિક હકારાત્મકતા દર 20.75 ટકા છે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ શનિવાર કરતા ઓછા છે. બલ્કે શનિવાર કરતા 27,469કેસ ઓછા નોંધાયા છે.

દેશમાં નોંધાયેલા નવા ચેપના ઉમેરા સાથે, સક્રિય કેસ વધીને 22,49,335 થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો 5.03 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 2,43,495 દર્દીઓની રિકવરી નોંધાઈ છે, આ સાથે કુલ રિકવરી વધીને 3,58,07,029 થઈ ગઈ છે. પરિણામે, રિકવરી રેટ હાલમાં 94% ટકા છે. છેલ્લા 24 કલાકમાં વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 439 છે.ભારતમાં કુલ મૃત્યુ 4,89,848 પર પહોંચ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વેરિઅન્ટ ઓમિક્રોનના 10 હજારથી વધારે કેસ નોંધાયા છે.
દરમિયાન, ચાલુ કોવિડ-19 રસીકરણ અભિયાનમાં, અત્યાર સુધીમાં 162.28 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભારતની રસીકરણ ઝુંબેશ 15 જાન્યુઆરી, 2021ના રોજ શરૂ થઈ હતી અને તેણે એક આખું વર્ષ પૂર્ણ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here