મહારાષ્ટ્રમાં મોટાભાગની શુગર મિલો સોલાપુર વિભાગમાં શરૂ

ગત સિઝનની સરખામણીએ ચાલુ સિઝનમાં વધુ શુગર મિલોએ શેરડીના પિલાણમાં ભાગ લીધો છે. 2020-21ની સિઝનમાં 190 મિલો કાર્યરત હતી, જ્યારે વર્તમાન સિઝનમાં 194 શુગર મિલો કાર્યરત છે.

શુગર કમિશનરેટના ડેટા અનુસાર, 2021-22ની સિઝનમાં 27 જાન્યુઆરી, 2022 સુધી મહારાષ્ટ્રમાં કુલ 194 શુગર મિલોએ પિલાણ શરૂ કર્યું છે. જેમાં 96 સહકારી અને 98 ખાનગી શુગર મિલો સામેલ છે અને 692.31 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 693.56 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. હાલમાં રાજ્યમાં ખાંડની સરેરાશ રીકવરી 10.02 ટકા છે.

પિલાણ, ખાંડ ઉત્પાદન અને ખાંડની રિકવરી બાબતે પણ રાજ્યના વિવિધ વિભાગોની સુગર મિલો સારી કામગીરી બજાવી રહી છે.

રાજ્યમાં સોલાપુર વિભાગમાં સૌથી વધુ શુગર મિલો કાર્યરત છે. સોલાપુરમાં સૌથી વધુ 45 ખાંડ મિલોમાં પિલાણ શરૂ થઈ ગયું છે. 27 જાન્યુઆરી, 2022 સુધીમાં 164.11 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 148.23 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કોલ્હાપુર વિભાગમાં થયું છે. હાલમાં કોલ્હાપુર વિભાગમાં 165.21 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 188.58 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અને અહીં ખાંડની રિકવરી 11.41 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here