શ્રી રેણુકા શુગર મિલ ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રૂ .450 કરોડનું રોકાણ કરશે

ભારત સરકાર પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને વેગ આપવા માટે અનેક પ્રયાસો કરી રહી છે અને 2025 સુધીમાં 20% મિશ્રણ કરવાની નેમ ધરાવે છે ત્યારે અનેક શુગર મિલો પણ હવે ઇથેનોલ ઉત્પાદન તરફ આગળ આવીને નવું રોક કરી રહી છે જેના ભાગ રૂપે શ્રી રેણુકા શુગરે તેની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 450 કરોડના રોકાણની ઘોષણા કરી છે.

સ્ટોક એક્સચેન્જને પોતાની એક નોટમાં કંપનીએ જણાવ્યું હતું કે તેના ડિરેક્ટર મંડળે ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાને દરરોજ 430 કિલોલિટર દ્વારા વધારીને 1,400 કિલોલિટર દિવસ દીઠ કરવાની મંજૂરી આપી છે.

આ અગાઉ ફેબ્રુઆરીમાં કંપનીના ડિરેક્ટર બોર્ડે ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા દરરોજ 720 કિલોલિટર થી વધારીને 970 કિલોલિટર કરવાની મંજૂરી આપી હતી.

કંપનીએ જણાવ્યું હતું કે ઇથેનોલ મિશ્રણ અંગેની સરકારની નીતિઓને ધ્યાનમાં રાખીને ડિરેક્ટર મંડળે ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં દરરોજ 970 કિલોલિટર થી વધારીને 1,400 કિલો લિટર પ્રતિ દિવસ કરવાની મંજૂરી આપી છે.

કંપનીએ કહ્યું કે આ ક્ષમતાના વિસ્તરણ માટે 450 કરોડ રૂપિયાનું રોકાણ જરૂરી રહેશે. ક્ષમતા વિસ્તરણ ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here