કાઠમંડુ: નેપાળ પણ ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે અને તેને ઘટાડવા માટે દેશના નિષ્ણાતોએ ઈથેનોલનું ઉત્પાદન કરવાનું સૂચન કર્યું છે. નેપાળ પણ ભારતના પગલે ચાલવા તૈયાર છે. ભારતમાં ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી ઈંધણની આયાત ઘટાડી શકાય.
નેપાળ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NAST)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રવિન્દ્ર ધકલે જણાવ્યું હતું કે ઇથેનોલનો ઉપયોગ ઇંધણના વિકલ્પ તરીકે કરી શકાય છે. તેમણે કહ્યું કે દેશની અંદર શુગર મિલોમાં સરળતાથી ઇથેનોલનું ઉત્પાદન કરી શકાય છે. ખાંડ અને મોલાસીસના ઉત્પાદન પછી ખાંડની મિલોમાં આડપેદાશ તરીકે આવતા અવશેષો માંથી ઇથેનોલનું ઉત્પાદન કરી શકાય છે. તેનાથી નેપાળને ઈંધણની કટોકટીમાંથી બહાર આવવામાં મદદ મળશે.