શેરડીના ખેડૂતો માટે નવી શક્યતાઓ ખુલશે: PM મોદી

અલીગઢ :: રાજા મહેન્દ્ર પ્રતાપ સ્ટેટ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ ડિફેન્સ કોરિડોરના અલીગઢ નોડની શિલાન્યાસ કર્યા બાદ એક વિશાળ જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં એંસી ટકા ખેડૂતો નાના છે. અમારી સરકારે તેમને મદદ કરવા માટે ઘણા પગલાં લીધા છે. તેમાં કિસાન સન્માન નિધિનો પણ સમાવેશ થાય છે. MSP ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવી છે.

શેરડીના ખેડૂતો અંગે તેમણે જણાવ્યું હતું કે, શેરડીની ખરીદીમાં પડતી મુશ્કેલીઓ સતત ઘટાડવામાં આવી રહી છે. છેલ્લા 4 વર્ષમાં ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોને 1,40,000 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. આગામી વર્ષ ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલવા જઈ રહ્યું છે. શેરડી માંથી ઇથેનોલનું ઉત્પાદન વધી રહ્યું છે અને ખેડૂતોને પણ તેનો ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here