આગામી સમયમાં ઇન્ડોનેશિયા 10 નવી સુગર મિલની સ્થાપના કરશે: કૃષિ મંત્રી

ઇન્ડોનેશિયાના કૃષિ પ્રધાન એન્ડી અમરાન સુલેમાનને આશા છે કે 10 નવી સુગર મિલોના નિર્માણના સમાપન બાદ ઇન્ડોનેશિયા ખાંડના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે.

ભગવાનનો આભાર કે,અમે 10 ખાંડ મિલો બનાવવાનું (લક્ષ્ય) પ્રાપ્ત કરી શકીએ છીએ.હાલમાં,આપણે 2.5 મિલિયન ટન સફેદ ખાંડનું ઉત્પાદન કરી શકીએ છીએ અને જરૂરિયાતોને પહોંચી વળવા હજી પણ 300-500 હજાર ટન આયાત કરવી પડે છે. તો અમે ટૂંક સમયમાં સફેદ ખાંડના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા મેળવીશું, ‘એમ તેમણે બુધવારે પૂર્વ જાવામાં જણાવ્યું હતું.

તેમણે જાહેર કર્યું કે કૃષિ મંત્રાલય, ખાંડની ઓદ્યોગિક માંગને પહોંચી વળવા,ખાસ કરીને આગામી પાંચ વર્ષમાં નવી સુગર મિલોના નિર્માણને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો કરશે.

“રિફાઈન્ડ ખાંડની માંગને પહોંચી વળવા માટે,આપણે પાંચ વર્ષના સમયગાળામાં 10 થી 15 નવી સુગર મિલો બનાવવી જોઈએ.જો તે બનાવી શકાશે,તો ઇન્ડોનેશિયા શ્વેત અને શુદ્ધ શુગર બંનેના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકશે.” તેમણે જણાવ્યું હતું.

તેમણે રાષ્ટ્રીય ખાંડ ઉદ્યોગના વિકાસમાં અનેક અવરોધો સ્વીકાર્યા હતા. કેટલાક પક્ષોએ શેરડીના વાવેતર અને નવી સુગર મિલોની ઉત્પાદન ક્ષમતા અંગે અનિશ્ચિતતા દર્શાવી છે.

“ઘણા અવરોધો હોવા છતાં,આપણે આશાવાદી રહેવું જ જોઇએ.દાખલા તરીકે કોઈએ ટીકા કરી છે કે બોમ્બાનામાં જમીન યોગ્ય નથી,પરંતુ તે બહાર આવ્યું છે કે જમીન 140 ટનનું ઉત્પાદન કરી શકે છે.”

મંત્રાલય બોમ્બાના જિલ્લા,દક્ષિણપૂર્વ સુલાવેસીની ઉજ્જડ જમીન સહિત સબઓપ્ટિમલ જમીનના પ્લોટો અને દક્ષિણ સુમાત્રાના ઓગન કોમેરિંગ ઇલીર ડિસ્ટ્રિક્ટમાં ભરાતી જમીનના પ્લોટો પર પણ શેરડીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

“આપણે ઉજ્જડ જમીનનો ઉત્તમ ઉપયોગ કરવો જ જોઇએ કે જે સામાન્ય રીતે ખેતી કરવી મુશ્કેલ છે.અમે આ જમીનમાં શેરડીનું વાવેતર કરીએ છીએ.તે બધું શક્ય છે, કેમકે આપણે ટપક સિંચાઈ જેવી નવી તકનીકનો ઉપયોગ કરીએ છીએ.નવી તકનીકનો ઉપયોગ કરીને, ઉત્પાદન બે ગણો વધે છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમનું માનવું હતું કે પૂર્વ જાવાના બ્લિટાર ડિસ્ટ્રિક્ટમાં રેજોસો મનીસ ઇન્ડો સુગર મિલની હાજરી સ્થાનિક લોકોના અર્થતંત્રને વેગ આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here