બિજનોરની 6 સુગર મિલોએ તો હજુ ખેડૂતોએ એક રૂપિયો પણ આપ્યો નથી: તંત્ર દ્વારા ફટકારાઇ નોટિસ

ઘણી મિલો દ્વારા સમયસર ખેડૂતોને પોતાની શેરડીના પૈસા ચૂકવી દીધા છે પણ તેમ છતાં બિજનોરની છ ખાંડ મિલોને ચુકવણી નહીં કરવા બદલ તંત્ર દ્વારા નોટિસ ફટકરાવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા છ આ છ મિલો પર 585 કરોડની રકમની ચુકવણી હજુ બાકી છે ત્યારે સમયસર ચૂકવી દેવા માટે નોટિસ કાઢવામાં આવી છે અને ન ચૂકવી શકે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લાની તમામ છ સુગર મિલો સંપૂર્ણ ક્ષમતા સાથે શેરડીનું પિલાણ કરી રહી છે.પરંતુ શેરડીની ખરીદી પ્રમાણે ખેડુતોને ચુકવણી કરવામાં આવી નથી.નિયમ છે કે સુગર મિલોએ 14 દિવસની અંદર ખેડુતો પાસેથી ખરીદેલી શેરડી ચૂકવવી પડશે. પરંતુ આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું નથી. બિજનોર સુગર મિલ દ્વારા આ ક્રશિંગ સીઝનમાં હજુ સુધી એક રૂપિયો પણ ચુકવ્યો નથી.

ગયા મહિને વહીવટી તંત્રએ નાણાં ન ચૂકવનારા છ સુગર મિલોને નોટિસ ફટકારી હતી,પરંતુ તેઓના વલણમાં સુધારો થયો નથી.જોકે, બિજનોર સુગર મિલ દ્વારા ગત ક્રશિંગસીઝનમાં ખરીદેલી શેરડીના 100 ટકા નાણાં ચૂકવ્યા છે.

બિજનોર, ચાંદપુર, બરકતપુર, બિલાઇ, સ્યોહારા અને ધામપુરની સુગર મિલો શેરડીની ચુકવણીમાં પાછળ રહી ગઈ છે. તેમાંથી બજાજ ગ્રૂપની બિલી સુગર મિલ અને વેજ ગ્રુપની બિજનોર અને ચાંદપુર સુગર મીલની હાલત વધુ નબળી છે. આ સુગર મિલો ખેડૂતોને સમયસર ચુકવણી કરતી નથી.

બિજનોર સુગર મિલ પર 57 કરોડ,ચંદપુર સુગર મિલ પર 89.55, બરકતપુર સુગર મિલ પર 105.57, બિલાઇ સુગર મિલ પર 203, સ્યોહરા સુગર મિલ પર 80.22 અને ધામપુર સુગર મિલ પર 5૦.55 કરોડ બાકી છે. ચુકવણી નહીં કરવા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા શેરડી અધિકારી યશપાલસિંઘના જણાવ્યા મુજબ, ખેડૂતોને સમયસર ચુકવણી થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુગર મિલોને શેરડીની ચુકવણી 14 દિવસની અંદર લાવવા નોટિસ ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here