સરકારે વેપારીઓને રાહત આપી, હવે 40 લાખ સુધીની વાર્ષિક આવક પર જીએસટી છૂટ

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના મોરચે કરદાતાઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટી મુક્તિને બમણી કરી દીધી છે. હવે વાર્ષિક 40 લાખ રૂપિયા સુધીની આવક કરનારા ઉદ્યોગપતિઓને જીએસટીમાંથી મુક્તિ મળશે. જ્યારે અગાઉ આ મર્યાદા 20 લાખ રૂપિયા હતી. એટલું જ નહીં, જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. દોઢ કરોડ છે, તેઓ કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેઓએ માત્ર એક ટકાના દરે ટેક્સ ભરવો પડશે.

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીએસટી લાગુ થયા પછી કરદાતાઓનો આધાર લગભગ બમણો થઈ ગયો છે. જ્યારે જીએસટી અમલમાં આવ્યો ત્યારે તે સમયે જીએસટી દ્વારા આવરી લેવામાં આવેલી આકારણીઓની સંખ્યા લગભગ 65 લાખ હતી, જે હવે વધીને 1.24 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમજ જીએસટીમાં બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચાલિત છે. પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર નાણાં મંત્રાલયે કહ્યું હતું કે જીએસટી પહેલા વેલ્યુ-એડિશનલ ટેક્સ (વેટ), એક્સાઈઝ અને સેલ્સ ટેક્સ ભરવો પડતો હતો. આનાથી સામૂહિક ધોરણે ટેક્સનો દર 31 ટકા સુધી પહોંચી ગયો હતો. મંત્રાલયે કહ્યું, ‘હવે વ્યાપકપણે માનવામાં આવે છે કે જીએસટી ગ્રાહકો અને કરદાતાઓ બંને માટે અનુકૂળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here