હવે 30 જૂન સુધીમાં કરી શકાશે પાન કાર્ડનું આધાર કાર્ડ સાથે લીંક અપ

આધાર અને પાનકાર્ડને જોડવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 કરવામાં આવી છે. આધાર અને પાનકાર્ડને જોડવાની અંતિમ તારીખ આજે એટલે કે 31 માર્ચે પુરી થઈ રહી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, હવે તમે 30 જૂન 2021 સુધીમાં આધારને પાન સાથે જોડી શકો છો.

અંતિમ દિવસ હોવાથી બુધવારે આવકવેરા વિભાગની વેબસાઇટ પર ટ્રાફિક એટલો વધી ગયો કે સાઇટ ક્રેશ થઈ ગઈ. ઘણા લોકો વિભાગની સાઇટ ક્રેશને કારણે પાન-આધારને લિંક કરવામાં અસમર્થ હતા. બેંકો તરફથી આવતા સંદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચ 2021 સુધીમાં, જો તમે તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક કરી શકતા નથી, તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેનાથી તમારા બેંકિંગ વ્યવહારોને પણ અસર થશે.

આવી સ્થિતિમાં બુધવારે લોકો સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે 31 માર્ચ 2021 સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો તમારો પાન નિષ્ક્રિય થઈ જશે. તેમજ ગ્રાહકોને 1000 રૂપિયા દંડ ભરવો પડશે.

બુધવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ આવકવેરાની સાઇટ ક્રેશ થઈ હતી, જે પછી તે મધ્યમાં રિકવર કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ વેબસાઇટ ફરીથી ક્રેશ થતી હતી. આ પછી, મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પર આવકવેરા વિભાગની 31 માર્ચે સમાપ્ત થનાર સમયમર્યાદામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here