હવે મધ્ય પ્રદેશમાં પણ આવશે ઈથેનોલ પ્લાન્ટ

ઈન્દોર: સરકાર રાજ્યમાં ઇથેનોલ ઉત્પાદકોને આકર્ષવા માટે નીતિ લાવવાની તૈયારી કરી રહી છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 રોકાણકારોએ રાજ્યમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, છેલ્લા છ મહિનામાં 18 સંભવિત ઔદ્યોગિક રોકાણકારોએ ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે. જબલપુર, સતના, છિંદવાડા, વિદિશા, બાલાઘાટ, નેમાવર અને ધામનોદ એ રોકાણકારો દ્વારા ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે પસંદ કરેલા કેટલાક સ્થળો છે.

ઔદ્યોગિક નીતિ અને રોકાણ પ્રમોશન વિભાગના અગ્ર સચિવ અને મધ્યપ્રદેશ ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન સંજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે યોગ્ય સાઇટ્સ શોધી રહેલા રોકાણકારો પાસેથી અમને 18 અરજીઓ મળી છે. તેઓ રાજ્યમાં લગભગ 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં ઇથેનોલ નીતિ લાવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here