પાકિસ્તાન કરશે 3,00,000 ટન ખાંડની આયાત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના નાણાં મંત્રાલયે કહ્યું કે આર્થિક સંકલન સમિતિ (ઇસીસી) એ મંગળવારે 3,00,000 મેટ્રિક ટન ખાંડની આયાત કરવાનો નિર્ણય લીધો છે. ઇસીસીએ બફર સ્ટોક જાળવવા માટે ટ્રેડ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન (ટીસીપી) દ્વારા રિફાઇન્ડ ખાંડની આયાત માટેના ઉદ્યોગ મંત્રાલય અને ઉત્પાદન મંત્રાલયના પ્રસ્તાવ પર વિચારણા કરી, અને મંત્રાલયે 3,00,000 મેટ્રિક ટન સફેદ ખાંડની આયાત કરવાની મંજૂરી આપી. પાકિસ્તાન હજુ આ વર્ષની શરૂઆત સુધી ખાંડની નિકાસ કરી રહ્યું હતું, પરંતુ હવે ઘરેલુ બજારોમાં ખાંડની તંગી છે, કેમ કે વપરાશની તુલનામાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે.

પીએસએમએ આયાત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
ઓલ પાકિસ્તાન સુગર મિલ્સ એસોસિએશન (પીએસએમએ) એ સરકારને ઓગસ્ટથી ઓક્ટોબર સુધી વ્યૂહાત્મક અનામત તરીકે 300,000 ટન ખાંડની આયાત કરવાની દરખાસ્ત કરી હતી. ખાંડ ઉદ્યોગના પ્રતિનિધિઓએ સૂચન કર્યું હતું કે બજારમાં ખાંડના દરને સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 3,00,000 ટન ખાંડની આયાત કરવી જોઈએ. ઉદ્યોગ અને ઉત્પાદન પ્રધાન હમ્મદ અઝહરની અધ્યક્ષતામાં સુગર સલાહકાર બોર્ડ (એસએબી) ની બેઠકમાં આ સૂચન કરવામાં આવ્યું હતું. સુગર ઉદ્યોગના પક્ષના પ્રતિનિધિત્વ અસલમ ફારૂક, ઝાકા અશરફ, ઇસ્કંદર ખાન અને જાવેદ કૈનીએ કર્યું હતું. બેઠકમાં જણાવાયું છે કે, હાલમાં લગભગ 1.6 મિલિયન ટન ખાંડ સ્ટોકમાં છે, જે આશરે 3.5 મહિના માટે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here