ભારતમાં પેટ્રોલ ભાવમાં આવી શકે છે ઘટાડો; જાણો શું છે કારણ

છેલ્લા 24 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવા છતાં સામાન્ય લોકો હજી પણ વધેલી કિંમતોથી ખરાબ રીતે પ્રભાવિત છે. રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે પેટ્રોલ 91.17 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે, જ્યારે ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 10 ટકાનો ઘટાડો થયા બાદ હવે લોકોને અપેક્ષા છે કે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડશે.

કોરોનાના કેસ વધી જતા યુરોપના દેશોમાં ક્રૂડ ઓઈલની માંગ ઓછી થતા કિમંત નીચે આવી છે. જેની અસર પણ ભાવ પર પડી છે. માંગના કારણે એક બેરલની કિંમત 71 ડોલરથી ઘટીને 64 ડોલર પર આવી છે.

પેટ્રોલ અને ડીઝલની માંગમાં ઘટાડો

આ વર્ષે જાન્યુઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ .7.5 નો વધારો થયો છે. વધતા ભાવને લીધે પેટ્રોલ અને ડીઝલની માંગ પર પણ અસર પડી છે. ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ માંગમાં 6.5 ટકા અને ડીઝલની માંગમાં 8.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભલે ભારતમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવી રહ્યા હોય, પરંતુ આજે પણ તેમની કિંમતો વિશે કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય નહીં.

રેકોર્ડ કક્ષાએ સરકારની આવક

પેટ્રોલિયમ પેદાશો પરનો કર હાલમાં તેના રેકોર્ડ સ્તરે છે. કેન્દ્રની મોદી સરકારે 2014-15માં એક્સાઇઝ ડ્યુટી દ્વારા પેટ્રોલ પર 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર 42,881 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, સરકારે ચાલુ નાણાકીય વર્ષ (2020-21) ના પ્રથમ 10 મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પર રૂ. 2.94 લાખ કરોડની આવક કરી છે. સરકારે વર્ષ 2014-15માં કુદરતી ગેસ પર રૂ. 74,158 કરોડની આવક કરી હતી, જ્યારે સરકારની આવક એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021 સુધીમાં રૂ. 2.95 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here