કાલે સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું દેશને સંબોધન

જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા તેવું વડાપ્રધાન મોદીનું દેશને સંબોધન આવતી કાલે સવારે 10 કલાકે છે. આ સંબોધનમાં તેઓ લોકડાઉન અંગે મહત્વની જાહેરાત કરશે. વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધન અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે.

આ તકે અનુમાન છે કે વડાપ્રધાન મોદી લોકડાઉનને આગામી 2 સપ્તાહ સુધી લંબાવવાની ઘોષણા કરી શકે છે. કારણ કે હાલ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 8000 જેટલી થઈ ચુકી છે. જો કે લોકડાઉનની સાથે વડાપ્રધાન જરૂરી ઉદ્યોગ, ટ્રેન સહિતની સર્વિસ શરુ કરવા અંગે પણ વાત કરશે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here