ખેડૂતોને લાભ આપવા માટે પ્રધાનમંત્રી 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો દેશને અર્પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023નાં રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 27 જુલાઈનાં રોજ સવારે 11:15 વાગ્યે રાજસ્થાનનાં સીકરમાં એક જાહેર કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે અને દેશને સમર્પિત કરશે. પછી તેઓ ગુજરાતનાં રાજકોટ પહોંચશે, જ્યાં બપોરે 3:15 વાગ્યે પ્રધાનમંત્રી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વોકથ્રુની શરૂઆત કરશે. ત્યારબાદ સાંજે 4:15 વાગ્યે પ્રધાનમંત્રી રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 28 જુલાઈનાં રોજ સવારે 10:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સેમિકોનઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે.

સીકરમાં પ્રધાનમંત્રી

ખેડૂતોને લાભ થાય તેવા એક મહત્વપૂર્ણ પગલામાં પ્રધાનમંત્રી દેશને 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) પણ અર્પણ કરશે. પીએમકેએસકેનો વિકાસ તમામ ખેડૂતોની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. કૃષિ-ઇનપુટ્સ (ખાતરો, બિયારણો, ઓજારો) પરની માહિતીથી માંડીને જમીન, બિયારણો અને ખાતરો માટેની પરીક્ષણ સુવિધાઓ, વિવિધ સરકારી યોજનાઓ સાથે સંબંધિત માહિતી સુધી, પીએમકેએસકે દેશમાં ખેડૂતો માટે એક વિશ્વસનીય સપોર્ટ સિસ્ટમ બનવાની કલ્પના કરવામાં આવી છે. તેઓ બ્લોક/જિલ્લા સ્તરના આઉટલેટ્સ પર ખાતરના રિટેલર્સની નિયમિત ક્ષમતા નિર્માણની ખાતરી પણ કરશે.

પ્રધાનમંત્રી યુરિયા ગોલ્ડ લોંચ કરશે – યુરિયાની નવી જાત છે, જે સલ્ફરનું આવરણ ધરાવે છે. સલ્ફર કોટેડ યુરિયાની રજૂઆતથી જમીનમાં સલ્ફરની ઉણપ દૂર થશે. આ નવીન ખાતર નીમ-કોટેડ યુરિયા કરતા વધુ આર્થિક અને કાર્યક્ષમ છે, છોડમાં નાઇટ્રોજનના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરે છે, ખાતરનો વપરાશ ઘટાડે છે અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 1500 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)નાં ઓનબોર્ડિંગનો શુભારંભ ડિજિટલ કોમર્સ માટેનાં ઓપન નેટવર્ક (ઓએનડીસી) પર કરશે. ઓએનડીસી એફપીઓને ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન પેમેન્ટ, બિઝનેસ-ટુ-બિઝનેસ (બી2બી) અને બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર વ્યવહારોની સીધી સુલભતા સાથે સશક્ત બનાવે છે અને સ્થાનિક મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં લોજિસ્ટિક્સની વૃદ્ધિને પ્રેરિત કરે છે.

આ પગલું ખેડૂતોનાં કલ્યાણ માટે પ્રધાનમંત્રીની કટિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનાં 14માં હપ્તાની રકમ 8.5 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે આપવામાં આવશે.

રાજસ્થાનમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનું મોટું વિસ્તરણ જોવા મળશે, કારણ કે પ્રધાનમંત્રી ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં પાંચ નવી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે તથા બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં સાત નવી મેડિકલ કોલેજો માટે શિલારોપણ કરશે.

મેડિકલ કોલેજોની સ્થાપના “વર્તમાન જિલ્લા/રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલી નવી મેડિકલ કોલેજોની સ્થાપના” માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના હેઠળ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જે પાંચ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું, તેનો કુલ ખર્ચ રૂ. 1400 કરોડથી વધારેનાં ખર્ચે થયો છે, ત્યારે જે સાત મેડિકલ કોલેજોનું શિલારોપણ કરવામાં આવશે, તેમનું નિર્માણ રૂ. 2275 કરોડનાં ખર્ચે કરવામાં આવશે.

સુધી વર્ષ 2014માં રાજસ્થાન રાજ્યમાં માત્ર 10 મેડિકલ કોલેજો હતી. કેન્દ્ર સરકારના સમર્પિત પ્રયાસોથી રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 35 થઈ છે, જે 250 ટકાનો વધારો દર્શાવે છે. આ 12 નવી મેડિકલ કોલેજોની સ્થાપનાથી રાજ્યમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા વર્ષ 2013-14માં 1750 બેઠકોથી વધીને 6275 બેઠકો થશે, જે 258 ટકાનો વધારો હશે.

ઉપરાંત પ્રધાનમંત્રી ઉદેપુર, બાંસવાડા, પરપતગઢ અને ડુંગરપુર જિલ્લાઓમાં સ્થિત છ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદ્ઘાટન કરશે, જેનો લાભ આ જિલ્લાઓમાં રહેતાં આદિવાસીઓને મળશે. કાર્યક્રમ દરમિયાન તેઓ કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરનું પણ ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી રાજકોટમાં

સમગ્ર દેશમાં એર કનેક્ટિવિટીમાં સુધારો લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસથી વેગ મળશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને કુલ 2500 એકરથી વધુ જમીન વિસ્તારમાં અને 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓનો સમન્વય થયો છે. ટર્મિનલ બિલ્ડિંગ ગૃહ-4 અનુરૂપ છે (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ) અને ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ (એનઆઇટીબી) વિવિધ સ્થાયીત્વ વિશેષતાઓથી સજ્જ છે, જેમ કે ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, સ્કાયલાઇટ્સ, એલઇડી લાઇટિંગ, લો ગેઇન ગ્લેઝિંગ વગેરે.

રાજકોટની સાંસ્કૃતિક જીવંતતાએ એરપોર્ટના ટર્મિનલની ડિઝાઇનને પ્રેરિત કરી છે અને તેમાં તેના ગતિશીલ બાહ્ય અગ્રભાગ અને ભવ્ય ઇન્ટિરિયર દ્વારા લિપપન આર્ટથી માંડીને દાંડિયા નૃત્ય સુધીના કલા સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવશે. આ એરપોર્ટ સ્થાનિક સ્થાપત્ય વારસાનું પ્રતીક બનશે અને તેમાં ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારની કલા અને નૃત્યના સ્વરૂપોના સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરવામાં આવશે. રાજકોટનું નવું એરપોર્ટ માત્ર રાજકોટના સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસમાં જ યોગદાન નહીં આપે પરંતુ સમગ્ર ગુજરાતમાં વેપાર, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે.

પ્રધાનમંત્રી રૂ. 860 કરોડથી વધારેની કિંમતની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરશે. સૌની યોજના લીંક 3 પેકેજ 8 અને 9 સિંચાઈની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં અને સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાના પાણીનો લાભ આપવામાં મદદરૂપ થશે. દ્વારકા આર.ડબ્લ્યુ.એસ.એસ.ના અપગ્રેડેશનથી પાઇપલાઇન દ્વારા ગામોને પૂરતું અને પીવાલાયક પાણી પૂરું પાડવામાં મદદ મળશે. હાથ ધરવામાં આવી રહેલા અન્ય પ્રોજેક્ટ્સમાં સંરક્ષણ, પુન:સ્થાપના અને વિકાસ સામેલ છેaઆરકોટ કિલ્લાનો પ્રથમ અને બીજો તબક્કો; વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ; સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ; ફ્લાયઓવર બ્રિજ, વગેરેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં

પ્રધાનમંત્રી 28 જુલાઈનાં રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સેમિકોનઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. આ પરિષદનો વિષય ‘ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ઉત્પ્રેરણ’ છે. તેનો ઉદ્દેશ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓનાં વૈશ્વિક નેતાઓને એકમંચ પર લાવવાનો છે. તે ભારતની સેમીકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ પ્રદર્શિત કરે છે, જે ભારતને સેમીકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરે છે. સેમીકોન ઇન્ડિયા 2023માં માઇક્રોન ટેકનોલોજી, એપ્લાઇડ મટિરિયલ્સ, ફોક્સકોન, સેમિ, કેડન્સ, એએમડી જેવી મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here