પ્રધાનમંત્રી ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે લોન્ચ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરી, 2024ના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે.

પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે યવતમાલ, મહારાષ્ટ્રમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે અને મહારાષ્ટ્રનાં યવતમાલમાં રૂ. 4900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન અને અન્ય યોજનાઓ હેઠળ લાભો પણ જાહેર કરશે.

પ્રધાનમંત્રી વીઓ ચિદમ્બરનાર બંદરને દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ બંદર બનાવવાનાં ઉદ્દેશ સાથે અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન અને બંકરિંગ સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી હારિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વેનો પણ શુભારંભ કરશે. આ જહાજનું ઉત્પાદન કોચીન શિપયાર્ડ દ્વારા કરવામાં આવે છે અને તે સ્વચ્છ ઊર્જા ઉકેલોને અપનાવવા અને રાષ્ટ્રની નેટ-ઝીરો પ્રતિબદ્ધતાઓ સાથે જોડાણ કરવા માટેના એક અગ્રણી પગલા પર ભાર મૂકે છે. ઉપરાંત પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પર્યટક સુવિધાઓ પણ અર્પણ કરશે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વાંચી મનિયાચ્ચી-નાગરકોઈલ રેલવે લાઇનનાં ડબલિંગ માટે રાષ્ટ્રને રેલવે પ્રોજેક્ટ અર્પણ કરશે, જેમાં વાંચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરાલવાયમોલી સેક્શન સામેલ છે. આશરે રૂ. 1,477 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ડબલિંગ પ્રોજેક્ટથી કન્યાકુમારી, નાગરકોઇલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનો માટે મુસાફરીનો સમય ઘટાડવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રી તમિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર રોડ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 844નાં જિત્તાનહલ્લી-ધર્મપુરી વિભાગને ચાર માર્ગીય બનાવવો, રાષ્ટ્રીય રાજમાર્ગ–81નાં મીનસુરુટ્ટી-ચિદમ્બરમ વિભાગનાં પાકા ખભા સાથે દ્વિમાર્ગીયકરણ, રાષ્ટ્રીય રાજમાર્ગ-83નાં ઓડનચત્રમ-મદાથુકુલમ વિભાગને ચાર માર્ગીય બનાવવો તથા રાષ્ટ્રીય રાજમાર્ગ – 83નાં નાગાપટ્ટિનમ-તંજાવુર વિભાગનાં પાકા ખભા સાથે દ્વિમાર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો, પ્રવાસનો સમય ઘટાડવાનો, સામાજિક-આર્થિક વૃદ્ધિ વધારવાનો અને પ્રદેશમાં યાત્રાધામોની મુલાકાતને સુલભ બનાવવાનો છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here