પ્રિયંકા ગાંધીએ શેરડીના ચુકવણીને લઈને ઉત્તર પ્રદેશ સરકારને આડે હાથ લીધી

લખનૌ : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે યોગી આદિત્યનાથની સરકારને ફરી આડે હાથ લીધી હતી. શેરડીના ખેડુતોને શુગર મિલો દ્વારા બાકી ચૂકવણી અંગેની ટીકા કરતા કહ્યું કે, 14 દિવસમાં ખેડૂતોને ચુકવણીનું વચન ‘જુમ્લા’ સાબિત થયું છે.

એક ટ્વિટમાં વાડ્રાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે શેરડીના ખેડુતોને 14 દિવસની અંદર લેણાં ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ શુગર મિલોને હજી હજારો કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તેથી, યુપી સરકારના આ વચનથી તેમના ‘જુમલા’ સિવાય કંઇ સાબિત થયું નથી.

લખમિપુર ઘેરીના ખેડૂત આલોક મિશ્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સુગર મિલ પર 6 લાખ રૂપિયા બાકી છે, જે તેમને હજી સુધી મળ્યો નથી. તેની સારવાર માટે તેને 3 લાખ રૂપિયાની લોન લેવાની ફરજ પડી હતી. રાજ્યના અન્ય ખેડૂતો પણ આવી જ રીતે પીડાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here