નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચ (ECI) એ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ 20 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ, રાજ્યમાં 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું હતું.
કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ ચૂંટણી મુલતવી રાખવા માટે પંચને વિનંતી કર્યા બાદ આ વાત સામે આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને રાજ્ય માંથી અનુસૂચિત જાતિ સમુદાયના ઘણા લોકો વારાણસીની મુલાકાત લે તેવી શક્યતા હોવાથી વિનંતી કરવામાં આવી હતી.
ECI દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઉમેદવારો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે, જ્યારે ઉમેદવારો 2 ફેબ્રુઆરી સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.