પંજાબ સરકારે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 11 રૂપિયાનો વધારો કર્યો

ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પગલે આજે પંજાબ સરકારે શેરડીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
તેમણે ટ્વિટર પર કહ્યું કે ‘પંજાબમાં રૂ. 11 એ શુભ શુકન છે..આજે પંજાબના શેરડીના ખેડૂતોને ભાવમાં રૂ. 11નો વધારો કરીને એક સારો સંકેત આપવામાં આવ્યો છે. પંજાબમાં શેરડીનો દર હવે 391 રૂપિયા પર પહોંચી ગયો છે, જે દેશમાં સૌથી વધુ છે.જે પંજાબના લોકો માટે સારા સમાચાર છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ શેરડીના ભાવ વધારવા માટે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી માનએ શેરડીના ભાવ વધારવાનું આશ્વાસન આપ્યું હતું.
પંજાબના શેરડીના ખેડૂતો શેરડીના ભાવ 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની માંગ કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here