શેરડીના ખેડૂતોના બાકી રહેલા 27 કરોડ ચૂકવી આપતી પંજાબ સરકાર

શેરડીના ખેડુતોને મોટી રાહત આપતા પંજાબ સરકારે વર્ષ 2017-18 અને 2018-19ના વર્ષ પેટે બાકી રહેટી 27 કરોડ રૂપિયાના શેરડીની રકમની ચુકવણી કરી હતી.મંગળવારે દાખા વિસ્તારના 23 શેરડી ખેડુતોના નીકળતા 65 લાખ રૂપિયા પણ પંજાબ સરકારે ચૂકવી દીધા છે.

આ અંગે બુધ્ધવાલ સહકારી સુગર મિલ્સના પ્રાંગણ પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.અધિકારીઓએ દાખા વિસ્તારના શેરડીના ખેડુતોને બાકી રકમનું વિતરણ કર્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (ગ્રામીણ)ના પ્રમુખ કરણજીતસિંહ ગાલિબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સંબોધન કરતાં ગાલિબે કહ્યું કે,”કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની સુખાકારી માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને અનેક યોજનાઓ શરૂ કરી છે,જેનું ખેડૂતો દ્વારા સ્વાગત છે.”

ધ બુધેવાલ કોઓપરેટિવ સુગર મિલ્સ લિ.ના જી.એમ. સુરેશકુમાર કુરિયલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18 અને 2018-19ના બાકી લેણાંની મંજૂરી મળી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here