30 વર્ષથી બંધ પડેલ મિલ શરૂ થવાના વિચારે અનેક લોકોમાં જાગી રોજગારીની આશા

30 વર્ષ પહેલાં એશિયાની સૌથી મોટી માનવામાં આવતી એવી બનમનખી સુગર મિલ ફરીથી ચાલુ થાય એવી ચણભણ વધી ગઈ છે.જેના કારણે આ પ્રદેશના લાખો લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે. કંપનીના માલિકો અહીં ખાંડની સાથે ઇથેનોલ અને વીજ ઉત્પાદન કરવા અંગે પણ વાત કરી રહ્યા છે. આ જર્જરિત થઈ ગયેલ સુગર મિલની કામગીરી શરૂ થવાથી આ વિસ્તારના લાખો ખેડુતો સહિત હજારો કામદારો રોજગાર મેળવી શકશે. સોમવારે મંત્રી બિમા ભારતી, પર્યટન પ્રધાન કૃષ્ણ કુમાર ઋષિ અને અધિકારીઓની ટીમે મુંબઇની એક કંપની સાથે બનમનખી સુગર મિલનો સર્વે કર્યો હતો.

કંપનીના માલિક લાલ બહાદુર પ્રસાદે કહ્યું કે તેમને આ જગ્યા ખૂબ પસંદ છે. જો સરકાર જલ્દી જમીન ફાળવી દેશે તો તે એક વર્ષમાં અહીં કારખાના શરૂ કરી દેશે. અહીં દરરોજ પાંચ હજાર મેટ્રિક ટન ખાંડના ઉત્પાદનની સાથે ત્રીસ મેગાવાટ વીજળી અને 60 કિલોલિટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તેમના તરફથી સરકારને દરખાસ્ત મુકવામાં આવી છે. જયારે સરકાર તેમને જમીન ફાળવે કે તરત તેઓ અહીં કામ શરૂ કરી દેશે.

અહીં, શેરડી ઉદ્યોગ વિકાસ પ્રધાન બિમા ભારતીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે બનમનખીમાં સુગર મિલ ખોલવા અંગે ચર્ચા થઈ છે. અહીં સુગર મિલ ખોલવા માટે મુંબઈની રેહજા એન્ડ પ્રસાદ કંપની તરફથી દરખાસ્ત મળી છે. અમે સ્થળની તપાસ કરી છે. જમીન સંબંધિત અડચણો દૂર કર્યા પછી આ જમીન તેમને ફાળવવામાં આવશે. આશા છે કે જુલાઈમાં સુગર મિલ માટે ભૂમિ પૂજન થશે. વધુમાં તેમણે જણાવ્યું કે અહીંની સુગર મિલને કારણે આ વિસ્તારના હજારો લોકોને રોજગાર મળશે. લોકોને રોજગાર માટે બહાર જવું પડશે નહીં. અહીં સુગર મિલ શરૂ થતાં આ વિસ્તારના લાખો ખેડુતોને પણ લાભ થશે.

બનમનખીના ધારાસભ્ય કૃષ્ણ કુમાર ઋષિએ કહ્યું કે, બનમનખી સુગર મિલ શરૂ કરવાનું તેમનું સ્વપ્ન હતું. શેરડી ઉદ્યોગ પ્રધાન અને શેરડી વિકાસ વિભાગના અધિકારી સાથે કંપનીના માલિક પણ અહીં આવ્યો છે. બનમનખી સુગર મિલની 118 એકર જમીન તાજેતરમાં વિયાડાને ફાળવવામાં આવી હતી. હવે રેહજા એન્ડ પ્રસાદ કંપની અહીં સુગર મિલ ખોલવા માટે ઉત્સુક છે. તેમને જલ્દી જ જમીન ફાળવવામાં આવશે. આશા છે કે, બનમનખીમાં સુગર મિલની સાથે, 2021 માં ફરીથી ઇથેનોલ અને વીજ ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે.

અપને જણાવી દઈએ કે 1967 થી 1990 દરમિયાન બનમનખીમાં ખાંડ મિલ કાર્યરત હતી. બીજા અનેક કારણોને લીધે, આ સુગર મિલ બંધ થઈ ગઈ હતી, જેના કારણે હજારો લોકો બેરોજગાર બન્યા હતા. શરૂઆતમાં જ તમામ પક્ષો માટે બનમનખી સુગર મિલ એક ચૂંટણીનો મુદ્દો હતો. આ વખતે સુગર મિલ શરૂ કરવાની ચળવળ ફરી શરૂ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here