સરકાર ભુના શુગર મિલ શરુ કરશે તો ખેડૂતો ડાંગરને બદલે શેરડી ઉગાડવા તૈયાર

એક સમયે જ્યારે હરિયાણા સરકાર પાકના વિવિધતાને મોટા પાયે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ફતેહાબાદ જિલ્લાના ખેડુતોએ સરકારને અપીલ કરી છે કે, જો સરકાર ભુના ખાંડ મિલને પુનર્જીવિત કરવા તૈયાર થશે, તો તેઓ ડાંગરની જગ્યા પર શેરડીનું વાવેતર કરશે. ફતેહાબાદ જિલ્લાના રતિયા બ્લોકમાં પાણીનું સ્તર 40 મીટરથી નીચે ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડૂત કાર્યકર બલબીરસિંહે જણાવ્યું હતું કે શેરડીમાં ડાંગર કરતા ઘણું ઓછું પાણીની જરૂર હોય છે. આપણે પણ જળ સંરક્ષણ કરવું જોઈએ. જો આપણે શેરડીનો વિકલ્પ પસંદ કરીશું, તો આપણે પૈસાની બચત પણ કરી શકીશું.

બે દિવસ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, હવે અમે ડાંગરના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટાડવાનું કહ્યું છે, ત્યારે ખેડૂતો કહે છે કે જો સરકાર ભુના ખાંડ મિલ શરૂ કરશે તો તેઓ ડાંગરને બદલે શેરડી પર ધ્યાન આપશે અને રોપશે.જો કે, મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઇનપુટ ખર્ચની તુલનામાં સુગર મિલોને ખાંડના ઓછા ભાવને કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે, જો ભૂના સુગર મિલોના નુકસાન અને લાભનો સામનો કરવા શેરડીના ખેડૂતો તૈયાર હોઈ તો અમે તેને શરુ કરવાતૈયાર છીએ.

મુખ્ય પ્રધાન ખટ્ટરના કહેવા મુજબ, કોંગ્રેસના છેલ્લા શાસનકાળ દરમિયાન મિલને ખાનગી હાથમાં વેચવામાં આવી હતી, પરંતુ શેરડીના અભાવને કારણે તેઓ તે ચલાવી શક્યા ન હતા કારણ કે ખેડૂતોએ શેરડીના બદલે ડાંગરની પસંદગી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here