બ્રુનેઇ દારુસલામ પાસે ખાંડ અને ચોખાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

વિશ્વભરમાં કોરોનવાઈરસને લઈને વિવિધ બજાર અને કોમોડિટી પર અસર થઇ છે ત્યારે અનેક દેશ પોતાનો સ્ટોક અંગે સતર્ક બની છે ત્યારે બ્રુનેઇ દારુસલામમાં કોરોનાવાયરસ રોગના કેસના ફેલાવાને કારણે થતી ગભરાટને પગલે નાણાં અને આર્થિક મંત્રાલયે (એમઓએફઇ) એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે દેશમાં ચોખા અને ખાંડનો સ્ટોક દૈનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે.

હાલ આ સમયે રજિસ્ટર્ડ કંપનીઓ દ્વારા સુગર અને ચોખાની માંગ વધી રહી છે, આ કંપનીઓને ચોખા અને ખાંડનું વેચાણ શુક્રવાર,રવિવાર અને જાહેર રજાઓ સહિત દૈનિક ખુલ્લું રહેશે. આગામી સૂચના સુધી વેચાણના સમયપત્રકમાં કોઈ ફેરફાર થશે નહિ અને ફેરફારની સૂચના અગાવ આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here