મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાગપુર ડિવિઝનમાં શુગર મિલોએ પિલાણની સિઝન બંધ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસોમાં બાકીના વિભાગની મિલો પણ તેમનું કામકાજ બંધ કરવાનું શરૂ કરશે.
મહારાષ્ટ્રમાં, કોલ્હાપુર વિભાગમાં સૌથી વધુ ખાંડ મિલોએ પિલાણ સીઝન બંધ કરી દીધી છે. મહારાષ્ટ્રના શુગર કમિશનરેટના ડેટા અનુસાર, રાજ્યની 13 શુગર મિલોએ 14 માર્ચ, 2022 સુધી પિલાણની સિઝન બંધ કરી દીધી છે. હાલમાં કોલ્હાપુર વિભાગમાં 12 શગર મિલ અને નાગપુર વિભાગની એક શુગર મિલ બંધ કરવામાં આવી છે.
શુગર કમિશનરેટના ડેટા અનુસાર, 2021-22ની સિઝનમાં 14 માર્ચ, 2022 સુધી, મહારાષ્ટ્રની કુલ 197 ખાંડ મિલોએ પિલાણમાં ભાગ લીધો હતો. જેમાં 98 સહકારી અને 99 ખાનગી શુગર મિલો સામેલ છે અને 1046.12 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1081.78 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. હાલમાં રાજ્યમાં ખાંડની સરેરાશ રીકવરી 10.34 ટકા છે.