ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 1.62 લાખ કરોડનું આવકવેરા રિફંડ જારી કરવામાં આવ્યું

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ચાલુ નાણાકીય વર્ષના 24 જાન્યુઆરી, 2022 સુધી 1.79 કરોડથી વધુ કરદાતાઓને રૂ. 1.62 લાખ કરોડના આવકવેરા રિફંડ જારી કર્યા છે. એક ટ્વીટમાં, આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, સીબીડીટીએ 1લી એપ્રિલ 2021થી 24મી જાન્યુઆરી 2022 સુધીમાં 1.79 કરોડ કરદાતાઓને રૂ. 1,62,448 કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે. 1,77,35,899 કેસમાં રૂ. 57,754 કરોડનું આવકવેરા રિફંડ અને રૂ. 1,04,694 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ 2,23,952 કેસમાં જારી કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here