ભારતીય કિસાન યુનિયન ઉત્તર પ્રદેશું સરકારના શેરડીના ભાવ ના નિર્ણયથી ખફા: આંદોલનની ચીમકી

ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)એ રવિવારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરેલા શેરડીના ભાવ વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ફરિયાદ કરી હતી કે સરકારનો આ નિર્ણય ખેડૂતોને સ્વીકાર્ય નથી.

રાજ્ય સરકારની ઘોષણાના એક દિવસ પછી,બીકેયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટીકૈતે કહ્યું હતું કે સૂચિત ન્યૂનતમ ટેકાના ભાવ એક “ખેડૂત વિરોધી” નિર્ણય છે અને નિર્દેશ કરે છે કે આ નિર્ણય ફક્ત સુગર મિલના માલિકોને જ અનુકૂળ છે.

તેમણે આરોપ લગાવ્યો કે મિલ માલિકોના દબાણને કારણે રાજ્ય સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો નથી.

શનિવારે સરકારે સામાન્ય ગ્રેડ માટે એમએસપી તરીકે ક્વિન્ટલ દીઠ 315 રૂપિયા અને શેરડીના અદ્યતન ગ્રેડ માટે ક્વિન્ટલ દીઠ 325 રૂપિયાની જાહેરાત કરી હતી.

ટિકૈતે કહ્યું કે શેરડીના ઉત્પાદકો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે પરંતુ સરકારે શેરડીના ભાવમાં વધારો કર્યો નથી.

દરમિયાન, બીકેયુ વડાએ જાહેરાત કરી હતી કે કિસાન પંચાયત બોલાવવામાં આવશે જેમાં ખેડુતો તેમની ભાવિ કાર્યવાહીનો નિર્ણય લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here