19મી ફેબ્રુઆરી સુધીમાં મહારાષ્ટ્રમાં 45.68 લાખ ટન ખાંડનું ઉત્પાદન

મહારાષ્ટ્રમાં વર્તમાન સીઝનમાં અતિવૃષ્ટિ અને દુષ્કાળની વચ્ચે પશુ આહાર માટે પણ શેરડીનો ઉપયોગ થતા આ સીઝનમાં ક્રશિંગ માટે હેરીની પ્રાપ્યતા ઘણી ઓછી હતી અને તેમાં આ વર્ષે ઇલેક્શનને કારણે ક્રશિંગ કામગીરી પણ ઘણી મોદી શરુ થઇ હતી ત્યારે આ સીણમાં મહારાષ્ટ્રની ઘણી સુગર મિલો ક્રશિંગ કામગીરી બંધ કરી રહી છે. મહારાષ્ટ્ર સુગર કમિશનરેટના આંકડા મુજબ, કુલ 13 સુગર મિલોએ ક્રશિંગ કામગીરી બંધ કરી છે.જેમાં , ઓરંગાબાદમાં જિલ્લાની 7 મીલો ઉપરાંત અહમદનગરમાં 3,સોલાપુરની ૨, અને પૂણે જિલ્લાની ૧ ખાંડ મિલોએ કામગીરી બંધ કરી દીધી છે. વર્તમાન ક્રશિંગ સીઝનમાં એકંદરે 143 સુગર મિલોએ ભાગ લીધો હતો.

હાર્વેસ્ટિંગ માટે મજૂરીની ઉપલબ્ધતા અને શેરડીની ઓછી ઉપલબ્ધતાએ આ સિઝનમાં સુગર મિલોને પોતાના કેલેન્ડર બદલવાની ફરજ પડી હતી.વળી,પૂર અને દુષ્કાળના કારણે રાજ્યમાં ખાંડનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે. 19 મી ફેબ્રુઆરી સુધીમાં 418.77 લાખ ટન શેરડી પીસવામાં આવી હતી અને 45.68 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જેની પુનપ્રાપ્તિ દર 10.91 ટકા હતો.

નિષ્ણાંતોના મતે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોટાભાગની મિલો આગામી 15 થી 20 દિવસમાં પીલાણ સિઝન સમાપ્ત કરશે.વળી,મહારાષ્ટ્રની સીઝન આ વર્ષના અંતમાં શરૂ થઈ હતી.રાજ્યની સુગર મિલોએ સત્તાવાર રીતે રાજ્ય સરકારની ગેરહાજરીમાં રાજ્યના રાજ્યપાલ બી.એસ. કોશ્યયરીની મંજૂરી લીધા પછી 22 નવેમ્બરના રોજ ક્રિશિંગ સિઝનની સત્તાવાર શરૂઆત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here