શેરડીની પર્ચી ન મળતા 25 વર્ષીય ખેડૂતે ઝેરી પદાર્થ લઇ લીધો

બાબુગઢના  વિસ્તારના હાજીપુર ગામના એક ખેડૂતે શેરડીની ચિઠ્ઠી ન મળતા  ઝેર ગટગટાવી લીધું હતું।આ ખેડૂતની હાલત બગડી જતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની તાંબિયત સુધારતા પર છે.

હાજીપુર ગામના રહેતા 25 વર્ષીય ધીરેન્દ્ર  ઓમકિરણએ શનિવારે બપોરે ઝેરીલો પદાર્થ  ખાઈ લીધો હતો અને તેની હાલત બગડી જતા તેના પરિવાર જનોએ કુચેસર ચોપાલ  સ્થિત હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તેની તબીયત સુધરતી હોવાનું જાણવા મળે છે.

ધીરેન્દ્રના કાકા વ્રજપાલ સિંહે  જણાવ્યું હતું કે શેરડીની ફસલ માટે તેને પર્ચી ન મળતા  ધીરેન્દ્ર છેલ્લા કેટલાક દિવસથી બેચેન રહેતો હતો.કારણ કે તેની શેરડી ખેતરમાં સુકાઈ રહી હતી.

આ માટે ધીરેન્દ્ર દ્વારા સીમભાવલી સુગર મિલનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો પણ કોઈ સમાધાન આવ્યું ન હતું અને તેને કારણે તેની પરેશાની વધી જતા શનિવારે તેને ઝેર ખાઈ લીધું હતું.  જોકે પોલીસે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી

Download  ChiniMandi News App :  http://bit.ly/ChiniMandiApp

 

 

 

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here