ભારતીય કંપની તાંઝાનિયા કરશે સુગર મિલ

તાંઝાનિયાના નિવેશ રાજ્યમંત્રી એન્જેલા કૈરુકિએ ભારતીય રોકાણકાર પુરંદરે ઇન્ડસ્ટ્રીઝ (ટી) લિમિટેડના દેશના પાટનગર ડોડોમામાં ચામિનો જિલ્લામાં સુગર મિલ સ્થાપવાના નિર્ણયને આવકાર્યો છે.

ભારત-તાંઝાનિયા વેપાર સંબંધો સતત વધતા જાય છે અને સુગર મિલની સ્થાપના જુલાઈ, 2016 માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી પ્રોત્સાહિત થયેલ એક પહેલ છે.ધાન કૈરુકીએ મિલના તે વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સતિષ પુરંદરે પાસેથી મિલની બાંધકામની માહિતી મળી હતી. તેમની મુલાકાત પછી, કૈરુકીએ જણાવ્યું હતું કે, ભારત હજી પણ તાંઝાનિયાના મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંનો એક છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સતિષ પુરંદરેના જણાવ્યા મુજબ, મિલમાં વર્ષે 5,000,000 ટન ખાંડ ઉત્પાદન કરવાની ક્ષમતા છે, જે જૂન 2021 માં શરૂ થવાની સંભાવના છે. ડેઇલી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં, પુરંદરેએ કહ્યું કે મને ખુશી છે કે રાષ્ટ્રપતિ જોન મગુફુલીની આગેવાનીવાળી સરકાર અમારું ઘણું સમર્થન કરી રહી છે. તેમને આશા છે કે આ રોકાણ ચામિનો જિલ્લામાં આર્થિક ક્ષેત્રને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here