કેન્દ્ર સરકારે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું: પેટ્રોલિયમ મંત્રી

દિલ્હી: પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે, સરકારે પેટ્રોલમાં 2025 સુધીમાં ઓછામાં ઓછા 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે અને આ દિશામાં પહેલાથી જ ગંભીર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં પ્રધાને કહ્યું કે અગાઉ સરકારે આ ઉદ્દેશ્ય પૂરા કરવા માટે લક્ષ્યાંક તારીખ 2030 નક્કી કરી હતી, પરંતુ હવે 2025 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

સરકાર આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, અગાઉ ઇથેનોલનો ઉપયોગ ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો, જેના કારણે દેશમાં ક્રૂડ ઓઇલની આયાત ખૂબ વધી હતી. પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ સતત વધારવા માટે સરકાર ગંભીર પ્રયાસો કરી રહી છે. પ્રધાને કહ્યું કે, એકવાર પેટ્રોલની સાથે ઇથેનોલની માત્રા વધશે, ક્રૂડ ઓઇલની આયાત ઘટશે અને સ્થાનિક લોકોને રોજગારી આપવામાં પણ મદદ કરશે. આનાથી દેશમાં શેરડીનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે આ દિશામાં તેમના પ્રયત્નોથી આગામી દિવસોમાં સકારાત્મક પરિણામો મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here