ચીનમાં ત્રાટકેલા વાવાઝોડાની અસર શેરડીના પાક પર નહિવત

ટાયફૂન મંગખુટે ચાઇનાના શેરડી પાકને ભારે નુકસાન પહોંચાડશે તેવી ભીતિ હતી તે ખરી સાબિત થઇ નથી અને ખાંડના ઉત્પાદન પર તેની અસર મર્યાદિત થશે એમ બે વિશ્લેષકો અને એક ખાંડ ઉત્પાદકે જણાવ્યું હતું ચાઇનાના મુખ્ય ખાંડ ઉત્પાદકોમાં શેરોમાં સોમવારે ઉછાળો આવ્યો છે કારણ કે એસમાંયે રોકાણકારોને ચિંતા હતી કે સુગરનો પુરવઠો અને શેરડીનો પાક સુપર ટાયફૂનથી પ્રભાવિત થઈ શકે છે.

વાવાઝોડાથી શેરડીના પાકને પારાવાર નુકશાન થશે તેવી દહેશત જે દર્શાવામાં આવતી હતી તેવી અસર દેખાણી નથી અને ખાસ કરીને શેરડીનો પાક જે વિસ્તારમાં વધુ થઇ છે તે ગયાન્ગડોન્ગ ના ઝાનિયાન્ગ અને નાનનીંગ વિસ્તારમાં કોઈ ખાસ નુકશાન થયું નથી હ્યુટાઇ ફ્યુચરના વિવેચક વેન્ગ વેઈન્ગડોગે જણાવ્યું હતું.
બલ્કે હવામાન સારુંથશે અને પાછળથી વરસાદ આવશે તો આ પાકને ફાયદો થશે તેમ વિવેચક વેન્ગ વેઈન્ગડોગે જણાવ્યું હતું। વેન્ગ વેઈન્ગડોગે નાનનીંગ વિસ્તારના જ છે કે જ્યાં સૌથી વધુ શેરડીના પાકનું વાવેતર થાય છે.
હોંગ કોંગ અને મકાઉમાં વાવાઝોડું ત્રાટક્યું હતું અને ત્યાં પારાવાર મુકેશન પણ કર્યું હતું પણ જયારે ચીનના વિસ્તારમાં ત્રાટક્યું ત્યારે તેની તીવ્રતા ઘણી ઘટી ગઈ હતી અને એક રિપોર્ટ અનુસાર ચીનમાં માત્ર બે ના મોટ જ નિપજ્યા છે.જોકે ઉત્તરીય ફિલિપીન્સમાં 54ના મોટ થયા હોવાના પ્રાથમિક સમાચાર છે.
ગયાન્ગડોન્ગ ના ઝાનિયાન્ગ અને નાનનીંગ વિસ્તારમાં શેરડીનું વધારે વાવેતર છે અને 1 મિલિયન મેટ્રિક તન શેરડી માત્ર વિસ્તારમાં જ થાય છે.ગયાન્ગડોન્ગની સૌથી મોટી સુગર મિલના મેનેજર લીને જણાવ્યું હતું કે જ્યાં શેરડીનું વાવેતર થયું છે ત્યાં વાવાઝોડાની અસર લિમિટેડ હતી.કેટલીક ઉભી શેરડી પડી ગઈ છે પણ તે ફ્રૂટ જ્યુઈશ માટેની હતી નહીકે પીલાણ માટેની તો કોઈ મોટી નુકશાની થઇ હોઈ તેવું નથી.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here