ભારતમાં ઝડપથી કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.

ભારતમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ઘટાડો આવી રહ્યો છે. જુલાઈ મહિનામાં છેલ્લે જે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હતી તે સંખ્યા ફરી આજે જોવા મળી હતી. એટલે કે 10 લાખ દર્દીઓની સંખ્યા થયા બાદ આજે લગભગ 147 દિવસ બાદ આજના દિવસની સંખ્યા ફરી આવી છે. આજે પણ ભારતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 27,071 જોવા મળી હતી. હાલ ભારતમાં કુલ 98,84,100 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા પણ પોઝિટિવ કેસની સંખ્યા કરતા વધારે જોવા મળી છે. જે એક સારા સંકેતની નિશાની છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 30.695 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને આ સાથે ભારતમાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 93,88,159 પર પહોંચી ગઈ છે. હાલ ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,52,586 સુધી જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 336 મૃત્યુ લોકોના થયા છે. કુલ મૃત્યુ આંક 1,43,355 સુધી પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here