છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ઘટી; નવા 9,309 દર્દીઓ નોંધાયા

ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા ફરી ઘટીને 10 હજારની અંદર પહોંચી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ આજે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવામળ્યો છે. .છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોનાના 9,309 નવા કેસ આવ્યા હતા જયારે 87 લોકોના મોટ નિપજ્યા હતા.

નવા કેસની સરખામણીમાં ભારતમાં આજે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 15,858 દર્દીઓ સજા થતા હવે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 1,35,926 દર્દીઓની રહી છે જેમાંના 40% થી વધુ દર્દીઓ તો ઘરે સારવાર લઇ રહ્યા છે. ભારતમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 1,08,80,603 પર પહોંચી છે જયારે રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા 1,05,89,230 પર પહોંચી છે. જયારે આજે વધુ 87ના મોત બાદ ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 1,55,447 પાર પહોંચી છે.

ભારતમાં ગઈકાલ રાત સુધીમાં 75,05,010 લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here