સુગર મિલોની ખાધને પહોંચી વળવા માટે પાયલોટના આધારે ગોળનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે

ચંદીગઢ :: હરિયાણાના સહકારી મંત્રી ડો.બંનવરીલાલે જણાવ્યું હતું કે, આગામી પિલાણ સીઝનમાં સહકારી ખાંડ મિલોની ખાધને પહોંચી વળવા માટે પલવાલ અને કૈથલ સહકારી ખાંડ મિલોમાં પાયલોટના આધારે ગોળનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ બંને સુગર મિલોમાં આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ રાજ્યની અન્ય સહકારી ખાંડ મિલોમાં પણ ગોળનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. ગુરુવારે શાહાબાદમાં સહકારી ખાંડ મિલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત મીટીંગની અધ્યક્ષતા દરમિયાન મંત્રીએ આ માહિતી આપી.

હરિયાણા સુગરફેડના અધિકારીઓએ પંજાબની બુધવાલ સહકારી સુગર મિલની પણ મુલાકાત લીધી હતી, જે ગોળ અને ખાંડની ‘ફતેહ’ બ્રાન્ડ માટે પ્રખ્યાત છે. તેમણે કહ્યું, સારી ક્વોલીટીનો ગોળ આશરે 70-80 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહ્યો છે. આપણે આપણા રાજ્યના લોકો માટે સારી ગુણવત્તાની ચીજવસ્તુઓ બનાવી શકીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here