સોલાપુર ડિવિઝનમાં 160.13 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયુ

પુણે: વર્તમાન ક્રશિંગ સીઝનમાં શૂગર મિલોએ પોતાની પીલાણ કામગીરી બંધ કરવાની શરૂ કરી દીધી છે અને હવે પીલાણ અંતિમ તબક્કે પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં સુગર મિલોએ પિલાણની સિઝનમાં ભાગ લીધો છે. શુગરના કમિશનરેટે જાહેર કરેલા આંકડા મુજબ 11 માર્ચ, 2021 સુધીમાં, 187 સુગર મિલોએ પિલાણની સીઝનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં 886.52 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે અને 918.55 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. રાજ્યમાં ખાંડની સરેરાશ પુન:પ્રાપ્તિ 10.36 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 41 શુગર મિલો બંધ કરાઈ છે. 11 માર્ચ, 2021 સુધીમાં, 29 શુગર મિલોએ કામગીરી બંધ કરી દીધી છે, ખાસ કરીને સોલાપુર વિભાગમાં વિશેષ મિલો બંધ થઇ છે. સોલાપુર વિભાગમાં 171.60 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 160.13 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું હતું.

કોલ્હાપુર વિભાગની 7 શુગર મિલો, અમરાવતીની 2 અને નંદેડ, ઓરંગાબાદ અને પુણેની 1 શુગર મિલો બંધ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here