ખાંડ પરનો નિકાસ પ્રતિબંધ હટાવવાની સરકાર દ્વારા હાલમાં કોઈ દરખાસ્ત નથીઃ પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત સરકાર ઘઉં, ચોખા અને ખાંડ પરના નિકાસ પ્રતિબંધને હટાવવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ઘઉં અને ખાંડની આયાત કરવાની “કોઈ યોજના કે જરૂર નથી”. સ્થાનિક બજારમાં કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આ ટિપ્પણીઓ આવી છે.

પીયૂષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં ઘઉં, ચોખા અને ખાંડ પર નિકાસ પ્રતિબંધ હટાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. અને ભારત ઘઉં અને ખાંડની આયાત નહીં કરે.

હાલમાં ભારતે ઘરેલુ ખાંડના વપરાશને પહોંચી વળવા અને કિંમતોને નિયંત્રિત કરવાના હેતુથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મંત્રીએ નોંધ્યું કે સરકાર મૈત્રીપૂર્ણ દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો માટે મદદ કરી રહી છે અને ઇન્ડોનેશિયા, સેનેગલ અને ગામ્બિયા જેવા દેશોમાં ચોખાની નિકાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here