કેન્દ્રીય બજેટમાં કઈ જ નવું નથી: રાજુ શેટ્ટી

સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રજુ શેટ્ટીએ કેન્દ્રીય બજેટની ટિક્કા કરી છે અને જણાવ્યું છે કે આ બજેટ યોગ્ય નથી.નાણા પ્રધાન નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટ ઉપર સ્વાભીમાની શેતકારી સંગઠનના રાજુ શેટ્ટીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ બજેટમાં કંઈ નવું નથી. શેટ્ટીએ કહ્યું કે ખાંડ ઉદ્યોગ માટે કોઈ નક્કર જોગવાઈ નથી. તેમણે બજેટના વિવિધ મુદ્દાઓ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.

બજેટમાં કૃષિ,શિક્ષણ,આરોગ્ય,માળખાકીય સુવિધાઓ,ગ્રામીણ વિસ્તારોને પ્રોત્સાહન આપવા અનેક જોગવાઈઓ કરી છે.તેમને બજેટ વાંચવામાં અઢી કલાકથી વધુ સમય લાગ્યો હતો.આ બજેટ પર હવે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ બજેટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. શેટ્ટીએ કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણાં પ્રધાને બજેટ દ્વારા ખેડૂતોને ઘણું આપ્યું છે, પરંતુ આ સંપૂર્ણ ખોટું છે.

માત્ર યોજના બનાવીને ખેડૂતોની સ્થિતિ સુધરશે નહીં. ખેડુતો પર ભારણનો બોજ વધી રહ્યો છે, આત્મહત્યા વધી રહી છે, પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને સરકાર કોઈ કદમ ઉઠાવતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here