કેરળમાં સમયસર ચોમાસુ આવી પહોંચવાનું પૂર્વાનુમાન

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે ચોમાસા નિયત સમયે 1 જૂને કેરળમાં દરિયાકાંઠે આવી પહોંચશે. સોશિયલ મીડિયા પર શેર કરેલી માહિતી પ્રમાણે હવામાન વિભાગ નિયમિતપણે હવામાન પર નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ હવામાનની આગાહી છે. વિભાગ 15 મેના રોજ ચોમાસાની ઘોષણા કરશે, જ્યારે આગામી ચાર મહિનાના વરસાદની આગાહી 31 મે સુધી કરવામાં આવશે.

અગાઉ મહાપાત્રાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે, તે દેશના ખેડુતો માટે શુભ સંકેત છે. કેરળમાં 1 જૂનના રોજ બાદ આગામી ચાર મહિના સુધી વરસાદની સિઝન શરૂ થશે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.એન.રાજીવાનના જણાવ્યા અનુસાર હવામાન પૂર્વેની આગાહી એકદમ અર્થપૂર્ણ છે. તેમણે કહ્યું કે હવામાન પૂર્વેની આગાહીની ગણતરીના આધારે આ માહિતી બહાર પાડવામાં આવી છે. આ મુજબ ચોમાસા સામાન્ય રીતે આવે તેવી પ્રબળ સંભાવના છે.

અગાઉ હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે એપ્રિલ મહિનો 121 વર્ષનો 13 મો સૌથી ગરમ મહિનો રહ્યો છે. મહિનામાં 34 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તે જ સમયે, હવામાન વિભાગે મેના બીજા અઠવાડિયાથી ગરમીથી થોડી રાહતની આગાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here