ડિસ્ટિલેશન ક્ષમતા વધારવા માટે ત્રિવેણી એન્જિનિયરિંગ રૂ.350 કરોડનું રોકાણ કરશે

મુંબઈ: ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આગામી નવ મહિનામાં તેની ડિસ્ટિલેશન ક્ષમતાને બમણી કરવા 350 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાના સરકારના લક્ષ્યને હાંસલ કરવા માટે કંપની યોગદાન આપવા માગે છે. 350 કરોડના રોકાણ સાથે કંપની બે નવી ભઠ્ઠીઓ સ્થાપશે અને તેની હાલની બે ભઠ્ઠીઓની ક્ષમતા વધારશે. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, કંપની આલ્કોહોલ ઉત્પાદન ક્ષમતા 320 કિલોલીટર પ્રતિ દિવસ (KLPD) થી વધારીને 660 KLPD કરશે. ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર તરુણ સાહનીના જણાવ્યા અનુસાર, 660 KLPD નું લક્ષ્ય આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધીમાં હાંસલ થવાની ધારણા છે.

કંપનીનો અંદાજ છે કે, એકવાર આ ક્ષમતા પ્રાપ્ત થઈ જાય પછી, તેના ડિસ્ટિલરી બિઝનેસમાંથી આવક વાર્ષિક રૂ. 1,500 કરોડ સુધી વધી જશે. નાણાકીય વર્ષ 21 માં, કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ રૂ. 101 કરોડના નફા સાથે ડિસ્ટિલરી બિઝનેસમાંથી આવક 544 કરોડ રૂપિયા રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here