સાતારામાં મુખ્યમંત્રીનું હેલીકૉપટર લેન્ડ ન થતા ઉદ્ધવ ઠાકરે મુંબઈ પરત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્ર સાતારા જિલ્લાના પૂરપીડિતો વિસ્તારોની મુલાકાતે જવાના હતા પરંતુ તેનું હેલીકૉપટર ખરાબ પ્રકાશને કારણે સ્થળ પર લેન્ડ થઇ શક્યું ન હતું . તેઓ પુણે એરપોર્ટથી હેલીકૉપટરમાં ઉડાન ભરી હતી અને સ્થળ પર જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખરાબ વિઝિબિલિટીને કારણે હેલીકૉપટર લેન્ડ થઈ શક્યું ન હતું. પરિણામે હેલીકૉપટર ફરી પુણે એરપોર્ટ પર મુખ્ય મંત્રીને લઈને પરત આવી ગયું હતું પુણેના કલેક્ટરના જણાવ્યા અનુસાર ખરાબ પ્રકાશને કારણે હેલીકૉપટર લેડ થઇ શક્યું ન હતું અને મુખ્ય મંત્રી પુણે પરત આવ્યા બાદ તેઓ ફરી મુંબઈ જવા રવાના થઇ ગયા છે.

જોકે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પાવર આજે સાતારા ના અનેક ગામોની મુલાકાતે ગયા છે અને સ્થળ વિઝીટ કરીને લોકોને મળીને પરિસ્થિતિનો ત્યાગ મેળવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here