ચોખા, મકાઈ અને ખાંડને બરબાદ થવાથી બચાવવા માટે આપણે સરપ્લસનો ઉપયોગ કરવો પડશે: નીતિન ગડકરી

નાગપુર: માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં દેશના પ્રથમ એલએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા પછી ગડકરીએ કહ્યું કે, અમે પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ .8 લાખ કરોડ ખર્ચ કરી રહ્યા છીએ, જે એક મોટો પડકાર છે. તેમણે ઉર્જા અને વીજળી ક્ષેત્રે કૃષિના વૈવિધ્યકરણ માટે વૈકલ્પિક બાયોફ્યુઅલ ના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે બનાવેલા ઇથેનોલ નીતિ પેટ્રોલિયમ પેદાશો પરની આયાત પર નિર્ભરતા ઘટાડતા પ્રદૂષણ મુક્ત અને દેશી ઇથેનોલ, બાયો-સીએનજી, એલએનજી અને હાઇડ્રોજન ઇંધણના વિકાસને પ્રોત્સાહન આપે છે.

તેમણે વધુમાં કહ્યું કે મંત્રાલય વિવિધ વૈકલ્પિક ઇંધણ પર સતત કામ કરી રહ્યું છે. ચોખા, મકાઈ અને ખાંડને બરબાદ થવાથી બચાવવા માટે આપણે સરપ્લસ નો ઉપયોગ કરવો પડશે. ફ્લેક્સ એન્જિન વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે ત્રણ મહિનામાં નિર્ણય લેવામાં આવશે, જેના કારણે ઓટોમોબાઈલ ઉત્પાદકોને ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલરમાં ફ્લેક્સ એન્જિન બનાવવાનું ફરજિયાત બનશે તેમ ગડકરીએ કહ્યું હતું. યુએસએ, કેનેડા અને બ્રાઝિલ જેવા ઘણા દેશોએ તેમની શરૂઆત કરી દીધી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વાહનની કિંમત એકસરખી રહે છે પછી ભલે તે પેટ્રોલ હોય કે ફ્લેક્સ એન્જિન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here