વસંત સહકારી સુગર મિલોના ડિરેક્ટરોએ ધરી દીધા રાજીનામાં

સતત ત્રીજા વર્ષે ક્રશિંગ સીઝન લેવામાં અસમર્થ રહેલી વસંત સહકારી ખાંડ મિલના તમામ ડિરેક્ટરોએ રાજીનામાં આપી દીધા છે.આની અસર યવતમલ જિલ્લાના પાંચ તાલુકાના શેરડી ઉત્પાદકોને થશે.ઉમરખેડ તાલુકામાં આવેલી મીલ રૂ.120 કરોડની લોન લઇને ચાલે છે અને છેલ્લા ત્રણ વર્ષથી ટ્રેક પર આવવા માટે સંઘર્ષ કરી રહી છે.

ત્રણ વર્ષ પહેલાં,બધા ખેડૂત સભ્યો,તેમના રાજકીય પક્ષોને ધ્યાનમાં લીધા વિના,એકઠા થયા હતા અને હાલના ડિરેક્ટરની નિયુક્તિ કરી હતી.ડિરેક્ટરોના પ્રતિનિધિ મંડળ સહકારી મંત્રીને મળ્યા અને 120 કરોડ રૂપિયામાંથી બેંકની 20 કરોડ રૂપિયાની લોનનું પુનર્ગઠન કરવાની ચર્ચા કરી હતી.

સહકારી મંત્રી સુભાષ દેશમુખે પણ આ માટેની દરખાસ્ત મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.તેઓએ 15 ઓગસ્ટે સરકારને લોન માફી માટે અરજી કરી હતી.જો કે,તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.દરમિયાનમાં વિધાનસભાની ચૂંટણી માટેની આચારસંહિતાની ઘોષણા સાથે આગામી સુગર સીઝનમાં મીલ શરૂ થવાની સંભાવના નહિવત થવા જઈ રહી છે.તેથી નિયામક મંડળે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here