વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષમાં 20 લાખથી વધુ મૃત્યુ અને $4.3 ટ્રિલિયનનું આર્થિક નુકસાન થયું છે જે માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગની અસર છે.
WMO અનુસાર, હવામાન, આબોહવા અને પાણીને લગતા જોખમોને કારણે 1970 થી 2021 વચ્ચે એટલે કે આ 50 વર્ષોમાં લગભગ 12,000 ઘટનાઓ બની છે. આબોહવાનાં આંચકા અને ભારે હવામાનને કારણે 60 ટકા આર્થિક નુકસાન થયું છે.
ડ WMO એ જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડના શરૂ થયેલી ચાતુર્માસિક વિશ્વ હવામાનશાસ્ત્રીય કોંગ્રેસ માટે સોમવારે નવા તારણો બહાર પાડ્યા છે. WMOએ જણાવ્યું હતું કે, ઓછા વિકસિત દેશો અને નાના ટાપુ વિકાસશીલ રાજ્યોએ તેમની અર્થવ્યવસ્થાના કદના સંબંધમાં “અપ્રમાણસર” ઊંચા ખર્ચનો સામનો કરવો પડ્યો છે.
“દુર્ભાગ્યે સૌથી વધુ સંવેદનશીલ સમુદાયો હવામાન, આબોહવા અને પાણી સંબંધિત જોખમોનો ભોગ બને છે,” તેમ WMOના સેક્રેટરી-જનરલ પીટરી તાલાસે જણાવ્યું હતું. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે ઓછામાં ઓછા વિકસિત દેશોમાં, છેલ્લા અડધી સદીમાં ઘણી આફતોને કારણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ના 30 ટકા સુધીનું આર્થિક નુકસાન થયું છે. નાના ટાપુ વિકાસશીલ રાજ્યોમાં, પાંચમાંથી એક આપત્તિ જીડીપીના “પાંચ ટકાથી વધુ” ખર્ચ કરે છે, કેટલીક આપત્તિઓ દેશોના સમગ્ર જીડીપીનો નાશ કરે છે.
એશિયામાં છેલ્લા 50 વર્ષમાં ભારે હવામાન, આબોહવા અને પાણી સંબંધિત ઘટનાઓને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે, જેમાં લગભગ 10 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ મોત બાંગ્લાદેશમાં થયા છે.
WMO એ કહ્યું કે અહેવાલ મુજબ, આફ્રિકામાં, 733,585 મૃત્યુ આબોહવા આપત્તિની છે. જેમાંથી 95 ટકા મૃત્યુ દુષ્કાળને કારણે થયા છે.
પહેલનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે 2027 ના અંત સુધીમાં તમામ પ્રારંભિક ચેતવણી સેવાઓ વિશ્વભરમાં ઉપલબ્ધ છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં શર્મ અલ-શેખમાં COP27 ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે લોન્ચ કર્યું હતું.