ભારતમાં નોંધાતા વધુ 11,713 કોરોનાના કેસ,એક્ટિવ કેસની સંખ્યા દોઢ લાખની અંદર

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 11,713 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન કોરોનાથી 95 લોકોનાં મોત પણ થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોનાથી એક જ દિવસમાં 14, 488 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં કોરોનાના 1,08,14,304 કેસ હવે છે. તેમાંથી 1,05,10,796 લોકો કોરોનાથી રિકવર થયા છે. તે જ સમયે, કોરોનાથી દેશમાં 1 લાખ 54 હજાર 918 લોકો મોત પણ નિપજ્યા છે.

ભારતમાં 14,488 દર્દીઓ સાજા થતા હવે હવે એક્ટિવ કેસની શંખ દોઢ લાખની અંદર પહોંચી ગઈ છે. હાલ ભારતમાં 1,48,580 રહી છે જેમાં 1 લાખથી વધારે કેસ તો માત્ર મહારાષ્ટ્ર અને કેરાલામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here